શુક્રવાર, 28 સપ્ટેમ્બર, 2012

એક નવી શરૂઆત.... મારી કર્મભૂમિ થી....





        સ્વામીનારાયણ મંદિર – આધુનિક સ્થાપ્ત્ય નું ઉત્ક્રૃષ્ટ નજરાણું
                                                 રળિયામણી ટાઉન શીપ

જન વિકાસ મંદિર



                                રાષ્ટ્રિય સ્તરનાં  ઘણાં ખેલાડીઓ નુ હોમ ગ્રાઉંડ

                             મહાનગરો સાથે બાથ ભીડવા અમે પણ તૈયાર
     


             રળિયામણો રહેણાંક વિસ્તાર




   


        ભરૂચ નો વિકાસ પથ
                                                ટ્રાફિક જામ ને કારણે બહું વગોવાયેલો સરદાર બ્રીજ
                         




 ભરૂચની એક અલગ પહેચાન- મેઘરાજા








અહીં સુધી પધાર્યા છો-તો  “ભલે પધાર્યા”  આપને ઘણી ખમ્મા
 તો હવે થોડી મારી વાત ---
“જનની જન્મ ભૂમિસ્ચ સ્વર્ગાદપિ ગરિયશી “- જન્મ ભુમિ ને સ્વર્ગ કરતાં વધુ મહ્તા  આપતાં લેખો / રચનાઓ ઘણી હશે પરંતુ આજે સૌ પ્રથમ એક પ્રયત્ન મારી કર્મભૂમિ માટે પણ.... કારણ ખબર નથી પણ આ ભૂમિનું ખેંચાણ મને વર્ષો થી હતું  મિત્ર બિરેન સાથે  I P C L  ( Baroda) જોઈન કરવું કે  G. N.F.C. (Bharuch)- આ બાબતે  વિગતે ચર્ચા થયેલી અને અંતે  ભૃગુ ખંડે , રેવા તીરે  મેં ૨૪મી ઑગસ્ટ-૧૯૮૪ નારોજ ડગ માંડ્યા......
ગમે તેમ પણ ભરૂચ નગરે મારા જેવા કંઈકને ઘણું બધું આપ્યું છે, માટે જ  એ ભૂમિના ઋણ સ્વીકારસાથે.. અહીં એક તસ્વીરી ઝલક રજુ કરી છે..

તા.ક. -અને આ બ્લોગ ની શરૂઆત માટે ના અત્યંત આગ્રહ માટે  મિત્ર સતિષ પટેલ ને આજ ની પોસ્ટ અર્પણ ......